ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 208 કરોડ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ 710 કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીનો આ નિર્ણય સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે શહેરી જનજીવન સુવિધા વૃદ્ધિ માટે નાણાં ફાળવવાનો એક સ્તુત્ય અભિગમ છે.

વિકાસ કામો માટે રૂ. 502 કરોડ ફાળવવામાં આવ્યા છે

નવરચિત આણંદ મહાનગરપાલિકાને રૂ. 45 કરોડ, મોરબીને રૂ. 80 કરોડ, નડિયાદને રૂ. 21.90 કરોડ, વાપીને રૂ. 21.50 કરોડ, નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકા પ્રત્યેકને રૂ. 20-20 કરોડ મળશે. આ ઉપરાંત, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાઓ તથા પાટણ, સિદ્ધપુર, વડગનર અને કડી નગરપાલિકાને આગવી ઓળખના કામો, આંતરમાળખાકીય સુવિધાના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારી કામો સહિતના વિકાસ કામો માટે રૂ. 502 કરોડ ફાળવવામાં આવ્યા છે.

વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 12 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here