અમદાવાદઃ મહાત્મા મંદિર ખાતે વિશ્વ હોમિયોપેથીક ડે પર જાગૃતિ લઈને આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે PM મોદીના નેતૃત્વમાં ગુજરાતે અગ્રેસર રહેવાની પરંપરા નિભાવી છે. બે દિવસીય હોમિયોપેથી સંમલેન લોકોમાં રહેલ ભ્રમણા દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવશે. હોમિયોપેથી વિજ્ઞાન આધારે ચાલતી પ્રક્રિયા છે. તેમજ હોમિયોપેથી કુદરતી ઉપચારને વધુ સક્રીય કરે છે જે જડ મૂળથી રોગોને નાબૂદ કરે છે.
હોમિયોપેથી સંમેલનનું આયોજન
મહાત્મા મંદિર ખાતે 2 દિવસીય હોમિયોપેથિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. હોમિયોપેથિ સંમેલનના પ્રથમ દિવસે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે મહાત્મા ગાંધી પણ આજીવન કુદરતી ઉપચારના હિમાયતી રહ્યા છે. ગાંધીનગરમાં યોજાઈ રહેલ બે દિવસીય સંમેલન હોમિયોપેથીના ઈતિહાસનું સૌથી મોટું સંમેલન હશે. મહારાષ્ટ્ર પછી સૌથી વધુ હોમિયોપેથી કોલેજ ગુજરાતમાં છે. અંદાજે 15 લાખ પેશન્ટ હોમિયોપેથીની ચીકીત્સા લેતા હોવાનું સરકારી આંકડામાં સામે આવ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે બદલતા સમયમાં પ્રાઈમરી કેર અને પ્રિવેન્ટિવ કેરમાં પણ હોમિયોપેથીનું યોગદાન વધે. મુખ્યમંત્રી ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓ પોતાનામાં રાખે વિશ્વાસ