મનન જૈન બુંદી જિલ્લાના ઈન્દરગઢનો રહેવાસી હતો. તે ત્રણ વર્ષ કોટામાં તેની દાદીના ઘરે રહીને JEEની તૈયારી કરી રહ્યો હતો. પોલીસ સ્ટેશન ઓફિસર રામ લક્ષ્મણ ગુર્જરે જણાવ્યું કે મનનનો મૃતદેહ તેના રૂમમાં લટકતો જોવા મળ્યો હતો. આપઘાત પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી.
મનનના મામા મહાવીર જૈને જણાવ્યું કે તેના દાદા-દાદીનું અવસાન થઈ ચૂક્યું છે. તે કોટામાં તેની માસીના પુત્ર સાથે રહેતો હતો. એક દિવસ પહેલા જ તેની સાથે ઘરે વાત કરી હતી. જ્યારે તેણે ફોન ઉપાડ્યો ન હતો, ત્યારે પરિવારને કંઈક અઘટિત થવાનો ભય હતો.