જયપુર.

1998માં નોંધાયેલા કાળા હરણના શિકાર કેસમાં સલમાન ખાન, સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને દુષ્યંત સિંહ વિરુદ્ધ લુની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપ છે કે 1 અને 2 ઓક્ટોબર 1998ની રાત્રે કાળા હરણનો શિકાર કરવામાં આવ્યો હતો.

આ કેસમાં અગાઉ સહ-આરોપીઓ સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ અને તબ્બુને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે સલમાન ખાનને 5 એપ્રિલ 2018ના રોજ વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમ 9/51 હેઠળ પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બાદમાં સલમાન ખાનને જામીન પર છોડવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here