એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે રાજુલા અને આસપાસ તાલુકાના 90 ગામડાઓમાં સાપ્તાહિક યોગ અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમ સમુદાયની સુખાકારી માટે તેના નિરંતર પ્રયાસોનો હિસ્સો છે. આ કાર્યક્રમથી શાળાના વિદ્યાર્થીઓ, ખેડૂતો, માછીમારો, પશુપાલકો અને મહિલાઓ સહિત 5,000થી વધુ વ્યક્તિઓ ઉપર પ્રભાવ પેદા કરી શકાયો છે તથા લાંબાગાળે ગ્રામીણ આરોગ્ય સ્થિતિસ્થાપકતા ઉપર ભાર મૂકતાં “હર ઘર યોગ”ના સંદેશનો પ્રસાર કરાયો છે.સ્કિલ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની ભાગીદારીમાં આ જાગૃકતા પહેલમાં યોગ સત્ર તેમજ પોસ્ટર-મેકિંગ, નિબંધ લેખન અને કવિતા જેવી ઇન્ટરેક્ટિવ સ્પર્ધાઓ સામેલ હતી. આ ઉપરાંત ખેડૂતો અને માછીમારો માટે દૈનિક જીવનમાં વ્યવહારિક સ્વાસ્થ્ય લાભો ઉપર કેન્દ્રિત એક વેબીનાર પણ યોજાયો હતો.સ્વ-સહાય સમૂહ (એસએચજી)ની મહિલાઓએ તેમના સમુદાયોમાં યોગના આયોજનથી નેતૃત્વ દર્શાવ્યું હતું. તેમાં મહિલાઓએ સ્વાસ્થ્યના લાભો અંગે જાગૃકતા ફેલાવી હતી તેમજ તેમના ગામડાની અન્ય મહિલાઓ માટે યોગ સત્ર પણ યોજ્યાં હતાં. તેનાથી કેમ્પેઇન એક સુખાકારી માટેની ચળવળમાં તબદીલ થયું હતું.એસઇડીઆઇ ખાતેના તાલીમાર્થીઓએ તેમના ગામમાં નિયમિત યોગ સત્ર સાથે કેમ્પેઇનને આગળ ધપાવ્યું હતું. તેનાથી સુનિશ્ચિત કરી શકાયું કે આ એક સપ્તાહના પ્રોગ્રામના લાભો આગામી સમયમાં પણ મળતાં રે તથા હર ઘર યોગ – સ્વસ્થ રહેવું સસ્તું છે. અસ્વસ્થ રહેવું મોંઘુ સાબિત થઇ શકે છે, તેવો સંદેશા ઉપર પણ ભાર મૂકાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here