શિયાળો આવી ગયો છે અને આ સિઝનમાં લોકો મગફળી ખાવાનું વધુ પસંદ કરે છે. મગફળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં મગફળી ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. દરરોજ મગફળી ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે, વજન નિયંત્રણમાં મદદ મળે છે અને તમારા શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. મગફળી ખાવાના ઘણા ફાયદા હોવા છતાં, તે દરેક માટે યોગ્ય નથી. કેટલાક લોકોએ મગફળી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. ખાસ કરીને જે લોકોને મગફળીથી એલર્જી હોય અથવા જેમનું પાચનતંત્ર નબળું હોય તો વધુ પડતી મગફળી ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. ચાલો જાણીએ કે કયા લોકોએ મગફળી ખાવાનું ટાળવું જોઈએ. નબળી પાચનશક્તિ ધરાવતા લોકોએ મગફળી ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી પેટમાં દુખાવો, ગેસ, અપચો અને ઝાડા થઈ શકે છે. મગફળીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે કેટલાક લોકો માટે પચવામાં મુશ્કેલ હોઈ શકે છે. કેટલાક લોકોને મગફળીથી એલર્જી થઈ શકે છે. આ એલર્જી ખૂબ જ સામાન્ય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે ગંભીર પણ હોઈ શકે છે. મગફળીની એલર્જીના લક્ષણોમાં ખંજવાળ, સોજો, શ્વાસ લેવામાં તકલીફ વગેરેનો સમાવેશ થાય છે. મગફળી ખાવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી શકે છે. આમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. સંધિવા અથવા હાયપર્યુરિસેમિયાથી પીડિત લોકોએ તેમના મગફળીના સેવનને મર્યાદિત કરવું જોઈએ, કારણ કે તે સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. કિડનીની બીમારી ધરાવતા લોકોએ મગફળી ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. મગફળીમાં પ્રોટીન, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે, તેથી કિડનીના દર્દીઓએ તેનું મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ. વધુ પડતી મગફળી ખાવાથી કિડની પર દબાણ આવે છે અને શરીરમાં વધારાનો કચરો જમા થાય છે. જે લોકોએ વજન ઓછું કરવું હોય તેમણે મગફળી ન ખાવી જોઈએ. મગફળી ખાવાથી શરીરમાં ચરબી અને કેલેરી વધે છે. વધુ પડતી મગફળી ખાવાથી વજન વધી શકે છે.








