પશ્ચિમ રેલવેના ભીલડી રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ લગભગ ₹11.00 કરોડના અંદાજિત ખર્ચે વ્યાપક પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનું આશરે 95 ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીનું કાર્ય ઝડપી ગતિએ પ્રગતિ પર છે.
* આધુનિક સ્ટેશન બિલ્ડિંગ: સ્ટેશન પર 18,223 ચોરસ ફૂટ વિસ્તારમાં એક નવું આધુનિક બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં અદ્યતન બુકિંગ ઓફિસ તેમજ એર-કન્ડિશન્ડ અને નોન-એર-કન્ડિશન્ડ પ્રતીક્ષાલયની સુવિધા ઉપલબ્ધ રહેશે.
* બહેતર કનેક્ટિવિટી અને એપ્રોચ: યાત્રીઓની સુવિધા માટે 39,288 ચોરસ ફૂટ લાંબા એપ્રોચ રોડની સુધારણા અને પહોળીકરણ કરવામાં આવ્યું છે તેમજ 29,105 ચોરસ ફૂટ વિસ્તારમાં સર્ક્યુલેટિંગ એરિયા અને પાર્કિંગ નો વિકાસ થઈ ચૂક્યો છે.
* અદ્યતન પ્રતીક્ષાલય અને શૌચાલય: સ્ટેશન પર 1,582 ચોરસ ફૂટના પ્રતીક્ષાલયનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે અને કુલ 5 શૌચાલય બ્લોકમાંથી 4નું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે.
* લિફ્ટ અને યાત્રી-અનુકૂળ સુવિધાઓ: તમામ પ્લેટફોર્મ પર લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમજ દિવ્યાંગજનો માટે વિશેષ રેમ્પ, પોર્ચ, સુગમ પ્રવેશ/નિકાસ દ્વાર, અલગ શૌચાલય અને પાર્કિંગ વિકસાવવામાં આવ્યા છે. યાત્રીઓ માટે પૂરતી સંખ્યામાં બેન્ચ પણ લગાવવામાં આવી છે.
* પાર્કિંગ અને સૌંદર્યીકરણ: પરિસરમાં ફોર વ્હીલર, ટૂ વ્હીલર અને ઓટો-રિક્ષા માટે અલગ પાર્કિંગ, પ્લેટફોર્મ શેલ્ટરનો વિસ્તાર, હરિત વિસ્તારનું વિકાસ અને સૌંદર્યીકરણનું કાર્ય અંતિમ તબક્કામાં છે.
* ભવિષ્યની ક્ષમતાનો વિસ્તરણ: હાલમાં ભીલડી સ્ટેશન પરથી દરરોજ અંદાજે 1,200 મુસાફરોની અવરજવર થાય છે અને 40થી વધુ ટ્રેનોનું આગમન-પ્રસ્થાન તથા ઠેરાવ અહીં થાય છે. આ સ્ટેશનને ભવિષ્યમાં દૈનિક 25,000 મુસાફરોની અવરજવર ક્ષમતાને અનુરૂપ રીતે વિકસાવવામાં આવી રહ્યું છે.
* આર્થિક અને વ્યૂહાત્મક મહત્વ: આ સ્ટેશન માલગાડીઓ અને ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેનોના સંચાલન માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. તેનો પુનર્વિકાસ સ્થાનિક સમુદાયને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
* સુરક્ષિત અને આધુનિક મુસાફરીનો અનુભવ: પુનર્વિકાસ પૂર્ણ થયા પછી ભીલડી સ્ટેશન યાત્રીઓને વધુ સુરક્ષિત, સુવિધાજનક અને આધુનિક અનુભવ પ્રદાન કરશે, જે પશ્ચિમ રેલવેની આધુનિકીકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.








