આણંદઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આણંદ-પેટલાદ હાઇવે પર રામોદડી ઓવરબ્રિજ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. વાસદથી તારાપુર તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે આખી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોમાંથી બેના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના દરવાજા અને પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસ્માતના આ બનાવની વિગત એવી જાણવા મળી છે. કે, આણંદ-પેટલાદ હાઇવે પર રામોદડી ઓવરબ્રિજ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. વાસદથી તારાપુર તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે આખી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સ્થાનિક લોકોએ આ બનાવની તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોમાંથી બેના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે  ઇજાગ્રસ્ત એક વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here